Sunday, November 14, 2021

જાહેર હરરાજીના નિયમો તથા હરરાજીની શરતો

    જાહેર હરરાજીના નિયમો તથા હરરાજીની શરતો 

    આથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરા શહેરમાં આવેલ કન્યાશાળા-બગસરાના મકાનના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમોને પાડીને ઇમલો તથા કાટમાળ દૂર કરીને જગ્યા ખુલ્લી કરી આપવા બાબતે તા. 13/11/2021ના રોજ અમરેલી એક્સપ્રેસ દૈનિકપત્રમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ નક્કી કરેલી શરતો.



1.       જાહેર હરરાજીમાં કોઇપણ ઇસમ આ સાથેના નિયમો તથા શરતોનું પાલન કરીને ભાગ લઇ શકશે.

2.       જાહેર હરરાજીમાં ભાગ લેનાર કોઇપણ ઇસમ ભારતીય નાગરીક હોવો જોઇએ.

3.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે સરકારશ્રીમાં માન્ય હોય તેવું ઓળખપત્ર તથા ઓળખપત્રની સ્વપ્રમાણીત કોપી રજુ કરવાની રહેશે.

4.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે રૂપીયા 20,000/- (અંકે રૂપીયા વીસ હજાર પુરાની)ની ડિપોઝીટ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે રોકડેથી જમા કરાવવાની રહેશે. અને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી તે સબબની પહોંચ મેળવી લેવાની રહેશે.

5.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી નિયત રકમ ચુકવી નિયત શરતો તેમજ પ્રાથમિક માહિતીનું ફોર્મ મેળવવાનું રહેશે. આ ફોર્મ ભરીને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે તે ડિપોઝીટની રકમ સાથે જમાં કરાવવાનું રહેશે.

6.       જાહેર હરરાજીમાં ભાગ લેનાર કોઇપણ ઇસમે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી મળેલ ડિપોઝીટ ભર્યા બદલની પહોંચ તથા ઓરીજનલ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. અને માંગવામાં આવે ત્યારે બતાવવાનું રહેશે.

7.       ઉપરની શરતો 2 થી 6 પૈકી એકપણ શરતનું પાલન ન કરતાં હોય, તેવા કોઇપણ ઇસમને જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં નહી આવે. અને જો તેમ છતાં કોઇપણ ઇસમ ઉપરોક્ત શરતો 2 થી 6 નું પાલન કર્યા સિવાય હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયાસ કરશે તો તેમની વિરૂદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

8.       જે કોઇ ઇસમ આ જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતો હોય, તેમણે ઉપરોક્ત શરતો 2 થી 6નું ફરજીયાત પણે પાલન કરવાનું જ રહેશે.

9.       જે કોઇ ઇસમ આ જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેતો હોય, તેઓએ હરરાજીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોતાની સાથે કોઇપણ અન્ય ઇસમને રાખવાના નથી. જો અન્ય કોઇ ઇસમ તેમની સાથે હશે તો ઉપરોક્ત શરતો 2 થી 6નું પાલન થતું ન હોય, ઉપરોક્ત શરત 7ના અનુસંધાને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જે વ્યક્તિ સાથે તે આ હરરાજીમાં આવેલ હોય, ભલે તેમણે ઉપરોક્ત શરત 2 થી 6નું પાલન કરેલ હોય, પરંતુ આ શરત નંબર 9 નું પાલન કરેલ ના હોય, તેમને પણ હરરાજીની પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવશે, તેમની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવશે અને તેઓએ બોલેલી બોલીઓને રદ ગણવામાં આવશે.

10.   જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમે શાળાના બાળકો, શાળાનો સ્ટાફ, શાળાના આચાર્યશ્રી તેમજ શાળાની એસ.એમ.સી. અને આ પ્રક્રિયા માટે એસ.એમ.સી. દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સ્ટાફ સાથે સભ્યતાથી વર્તવું જોઇશે. જો કોઇ ઇસમ આવું કરવામાં ચુક કરશે તો તેમને હરરાજીની પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવશે, તેમની ડિપોઝીટની રકમ જપ્ત કરી લેવામાં આવશે અને તેઓએ બોલેલી બોલીઓને રદ ગણવામાં આવશે. અને તેમની વિરૂદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

11.   જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમ જેમણે હરરાજીમાં સૌથી વધારે બોલી બોલેલી છે તેઓએ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા, તા. બગસરા, જી. અમરેલી દ્વારા નક્કી કરેલી તમામ શરતોના પાલન માટે જરૂરી સમજૂતી કરાર સરકારશ્રીના પ્રવર્તમાન કાયદાનુસાર કરવાનો રહેશે. આવો સમજુતી કરાર, બોલીની 100 ટકા રકમ સાથે નિયત સમયમર્યાદામાં (હરરાજીના બીજા દિવસ સુધીમાં) એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમાં કરાવવાનો રહેશે.

12.   આ ઇમલા તથા કાટમાળની અપસેટ કિંમત રૂ.1,94,500/-  (અંકે રૂપીયા એક લાખ ચોરાણું હજાર પાંચસો પુરા) નક્કી થયેલ હોય, જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમે તે કરતાં વધુ બોલી જ લગાવવાની રહેશે.

13.   હરરાજીમાં રૂ 1000/- ના રાઉન્ડ ફિગરમાંજ રકમની બોલી બોલવાની રહેશે. (એટલે કે 1,95,000/, 1,96,000/-, 1,97,000/- એમ.....)

14.   હરરાજીની પ્રક્રિયામાં ઓછામાં ઓછા ૩ ઇસમો હાજર હશે અને હરરાજી માટે ઓછામાં ઓછી 3 બોલીઓ બોલાયેલી હશે તો જ હરરાજીની પ્રક્રિયા માન્ય રહેશે.

15.   હરરાજીમાં સૌથી વધારે રકમની બોલી જ મંજૂર કરવામાં આવશે. સૌથી વધારે રકમની આખરી બોલી મંજૂર થયેથી, જે તે ઇસમએ પોતે બોલેલી બોલીની મંજૂર થયેલી રકમ પૈકીની 25% રકમ સ્થળ પર જ પંચોની સમક્ષ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમા કરાવવાની રહેશે.

16.   જે ઇસમની હરરાજીની બોલી મંજૂર થયેલ હોય, તે ઇસમએ હરરાજીના બીજા જ દિવસે બાકીની ૭૫% રકમ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમા કરાવવાની રહેશે.

17.   શાળામાં બોલીની રકમ સંપૂર્ણ રકમ (100 ટકા રકમ) તથા જરૂરી સમજુતી કરાર (ઓરીજનલ કોપીમાં) જમા કરાવ્યા બાદજ જે તે ઇસમને ઇમલો અને કાટમાળ પાડવા માટેનો જરૂરી વર્કઓર્ડર આપવામાં આવશે તેમજ એસ.એમ.સી. દ્વારા જણાવેલ તારીખથી કામ શરૂ કરવાનું રહેશે.

18.   જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે વ્યક્તિની ડીપોઝીટની રકમ ઇમલો તથા કાટમાળ દૂર કરવાનું કામ સંપૂર્ણ પણે અને સંતોષકારક રીતે પુરૂ થયા બાદજ પરત કરવામાં આવશે.

19.   હરરાજીમાં ભાગ લેનારા અન્ય ઇસમો કે જેની બોલીઓ મંજૂર થયેલ નથી, તેઓની ડીપોઝીટની રકમ હરરાજીની પ્રક્રિયા પૂર્ણ થયેથી હરરાજીના દિવસેજ સાંજ સુધીમાં તેઓની પાસેથી પાકી પહોંચ લઇને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી મારફતે પરત કરવામાં આવશે.

20.   જો હરરાજીની આખરી બોલી બોલનાર ઈસમ હરરાજીના દિવસેજ 25% રકમ ભરવામાં નિષ્ફળ જશે કે બાકીની 75% ટકા રકમ બીજા દિવસે ભરવામાં નિષ્ફળ જશે તો તેમની ડિપોઝીટની રકમ જપ્ત કરીને ક્રમશ: તેમની પહેલાના ક્રમે બોલી બોલનાર ઇસમની બોલીને આખરી ગણવામાં આવશે. અને તે ઇસમને ઉપરોક્ત શરતો 15 થી 19 મુજબ કાર્યવાહી થવા જાણ કરવામાં આવશે. અને જો કોઇ તેમની પહેલાના ક્રમે બોલી બોલનાર ઇસમ નહી હોય તો હરરાજીની પ્રક્રિયા નિયમાનુસાર ફરીથી કરવામાં આવશે.

21.   કોઇપણ કારણઓ દર્શાવ્યા સિવાય કોઇપણ બોલીને મંજૂર રાખવી કે નામંજૂર રાખવી તેનો સંપૂર્ણ હક્ક એસ.એમ.સી. કન્યાશાળા-બગસરાને તથા એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા આ માટે અધિકૃત કરેલ અધિકારીઓને સ્વાધિન રહેશે.

22.   હરરાજીની પ્રક્રિયામાં ગેરકાયદેસર રીતે ઉપસ્થિત રહેનાર, હરરાજીની પ્રક્રિયાને કોઇ અન્ય રીતે દૂષિત કરનાર કે હરરાજીની પ્રક્રિયા વખતે અસભ્ય/ગુનાહિત વર્તન કરનાર ઇસમોની ડિપોઝીટ જપ્ત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

23.   અહી જણાવેલી કોઇપણ શરતો પૈકી એકપણ શરતમાં કોઇ ફેરફાર કરવો, છુટછાટ આપવી કે કોઇ શરત રદ કરવી કે કોઇ નવી શરત ઉમેરવી તે માટે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા પોતાનો અધિકાર સ્વાધિન રાખે છે.

24.   હરરાજીમાં આવનાર/ભાગ લેનાર તમામ ઇસમોએ કોવિડ-19 ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

25. જે ઇસમની બોલી મંજુર થશે તેમણે શાળાનો ઉપર જણાવેલ ઇમલો દિન-45માં ઉપાડી લેવાનો રહેશે અને શાળાની જગ્યા જમીન સ્તર સુધી ચોખ્ખી કરી આપવાની રહેશે. 

26. જે ઇસમની બોલી મંજુર થશે તેમણે કરવાના સમજુતી કરારની નકલ આ બ્લોગ પર ઉપલબ્ધ છે. આ શરતો મુજબજ શાળાનો ઇમલો પાડીને કાટમાળ દુર કરવાનો રહેશે. 

No comments:

Post a Comment